યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘કંઈક બાજુ પર રાખી મૂકો’
આપણે એવું ન વિચારવું જોઈએ કે મોકો મળશે ત્યારે દાન કરી દઈશું. એના બદલે પ્રેરિત પાઉલે સલાહ આપી તેમ, આપણે નિયમિત રીતે “કંઈક બાજુ પર રાખી મૂકવું” જોઈએ. (૧કો ૧૬:૨) એમ કરીશું તો સાચી ભક્તિને ટેકો આપી શકીશું અને આપણને ખુશી મળશે. આપણને લાગી શકે કે આપણા દાનની કોઈ કિંમત નથી. પણ યહોવા એ વાતની કદર કરે છે કે આપણે પોતાની કીમતી વસ્તુઓ આપીને તેમનું સન્માન કરવા માંગીએ છીએ.—ની ૩:૯.
કંઈક બાજુ પર રાખી મૂકવા માટે તમારો આભાર વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
દાન આપવા વિશે પહેલેથી યોજના બનાવીશું તો કેવા ફાયદા થશે?
-
અમુક ભાઈ-બહેનો ‘કંઈક બાજુ પર રાખી મૂકવા’ શું કરે છે?