સ્કીપ ટુ કન્ટેન્ટ

શું શાસ્ત્રમાં કોઈ સલાહ આપી છે, જેનાથી મારું કુટુંબ સુખી બને?

શું શાસ્ત્રમાં કોઈ સલાહ આપી છે, જેનાથી મારું કુટુંબ સુખી બને?

શાસ્ત્રમાંથી જવાબ

 હા. બાઇબલમાં સરસ સલાહ આપી છે. લાખો કુટુંબો એ સલાહ પાળીને સુખી બન્યાં છે. દાખલા તરીકે, નીચે આપેલી અમુક સારી સલાહ પર ધ્યાન આપો:

  1.   લગ્‍ન કાયદાકીય રીતે કરેલા હોવા જોઈએ. કાયદાકીય રીતે કરેલા લગ્‍નમાં એકબીજાને વચન આપવામાં આવે છે કે, જીવનભર એકબીજાને સાથ આપશે. એ સુખી કુટુંબનો પાયો છે.—માથ્થી ૧૯:૪-૬.

  2.   એકબીજાને પ્રેમ કરો અને માન આપો. જેમ તમે ચાહો છો કે તમારા સાથી તમારી સાથે વર્તે, એમ તમે પણ તેમની સાથે વર્તો.—માથ્થી ૭:૧૨; એફેસીઓ ૫:૨૫, ૩૩.

  3.   કઠોર શબ્દો ન બોલો. પ્રેમથી વાત કરો. એવા સમયે પણ જ્યારે તમારા સાથી એવું કંઈક કહે કે કરે, જેનાથી તમને દુઃખ પહોંચે. (એફેસીઓ ૪:૩૧, ૩૨) બાઇબલમાં લખ્યું છે: “નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.”—નીતિવચનો ૧૫:૧.

  4.   એકબીજાને વફાદાર રહો. ફક્ત તમારા જીવનસાથી જોડે જ શારીરિક સંબંધ રાખો અને તેમને તમારો પ્રેમ બતાવો. (માથ્થી ૫:૨૮) બાઇબલમાં લખ્યું છે: “બધા લોકોમાં લગ્‍ન માનયોગ્ય ગણાય અને પતિ-પત્ની એકબીજાને બેવફા ન બને.”—હિબ્રૂઓ ૧૩:૪.

  5.   તમારા બાળકોને પ્રેમથી શીખવો. તેઓને વધારે પડતી છૂટ ન આપશો અને તેઓ સાથે વધારે પડતા કઠોર ન બનશો.—નીતિવચનો ૨૯:૧૫; કોલોસીઓ ૩:૨૧.